દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ફોર્મ 2023

દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ફોર્મ 2023 : Din Dayal Upadhyay awas yojna 2023 : ઘરનુ ઘર એ દરેક લોકોની પ્રાથમિક જરૂરીયાત છે.

હાલ ગુજરાત સરકાર અને કેંદ્ર સરકારની ઘણી યોજ્ના અચાલે છે જે લોકોને પોતાનુ ઘર બનાવવા સહાય પુરી પાડે છે. દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના પણ આ પૈકીની એક છે.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ , વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા લોકોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા

માટે માલિકીનો પ્લોટ ધરાવતા લોકોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં સહાય આપવામાં આવે છે. મકાન બાંધકામ પૂર્ણ કરવાની મુદત 2 વર્ષની હોય છે.

Also read માત્ર 20 મિનિટ કરો આ 3 યોગાસન

દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023

યોજનાનું નામપંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023
અમલીકરણગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
આર્ટીકલ પ્રકારસરકારી યોજના
અરજીપંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ઓનલાઈન ફોર્મ 2023 અરજી કરો
ઓફીસીયલ પોર્ટલhttps://esamajkalyan.gujarat.gov.in
લાભરૂ.1,20,000 ની મકાન બનાવવા સહાય
દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ફોર્મ 2023
દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ફોર્મ 2023

Also read How to Know IMEI no In smartphone using USSD code

દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના ગુજરાત 2023 પાત્રતા ધોરણો

1. આ યોજના નો લાભ લેવા માટે ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જરૂરી છે.

2. આ યોજના નો લાભ લેવા માટે લાભાર્થી ગુજરાતની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ , વિચરતી વિમુકત જાતિના જોઈએ.

3. આ યોજના નો લાભ જે વ્યક્તિ લેવા માગે છે તેની પાસે પોતાનો પ્લોટ અથવા તો પોતાનું કાચું મકાન હોવું જરૂરી છે.

4. જો કોઈ વ્યક્તિને સરકાર દ્વારા મફતમાં પ્લોટ આપવામાં આવે છે તો તે પણ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર બનશે.

5. લાભ લેવા ઇચ્છુક લાભાર્થીના પરિવારમાં કોઈ પણ વ્યક્તિ પાસે બીજું મકાન કે પ્લોટ ન હોવો જોઈએ જો હોય તો તેવા લોકોને આ યોજનાનો લાભ મળશે નહીં.

6. આ યોજનામા ગ્રામીણ વિસ્તાર માટે આવક મર્યાદા રૂ. ૧,૨૦,૦૦૦ છે.

7. આ યોજનામા શએરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂ. ૧,૫૦,૦૦૦ છે.

8. લાભાર્થીના પરિવારમા કોઇ સરકારી નોકરી ન કરતુ હોવું જોઇએ.

9. બી. પી. એલ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને આ યોજનામા પ્રાધાન્ય આપવામાં આવે છે.

દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 સહાયની રકમ

દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 માં લાભાર્થીઓને કુલ 1 લાખ 20 હજાર ની સહાય આપવામા આવે છે જે નીચેના હપ્તામા આપવામા આવે છે.

  • પ્રથમ હપ્તો રૂ. 40,000 નો રહેશે. જે લાભાર્થીને ઘરનું કામ શરૂ કરવા માટે આપવામાં આપવામા આવે છે..
  • બીજો હપ્તામા રૂ. 60,000 રૂપિયા આપવામા આવે છે.. આ હપ્તો મકાનનુ કામ લેંટર લેવલ સ્તરે પહોંચતા જ મળશે.
  • ત્રીજો અને અંતિમ હપ્તો રૂ. 20,000 રૂપિયાનો આપવામાં આવશે. આ હપ્તાની રકમ લાભાર્થીને આખું મકાનનુ કામ પૂર્ણ થવા પર આપવામા આવે છે.

Also read Download Tata Neu Super App. 

દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 ડોકયુમેન્ટ લીસ્ટ

  • અરજદારનો જાતિ / પેટાજાતિ નો દાખલો તથા આવકનો દાખલો
  • રહેઠાણનો પુરાવો ( આધાર કાર્ડ / વીજળી બિલ / લાઇસન્સ / ભાડાકરાર / ચુંટણી કાર્ડ / રેશનકાર્ડ પૈકી કોઈપણ એક )
  • કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન / તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની , એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ .
  • જમીન માલિકીનું આધાર / દસ્તાવેજ / અકારની પત્રક / હક પત્રક / સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
  • અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્ય મંત્રી / સિટી તલાટી ક્ય મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
  • મકાન બાંધકામ કરવાનુ સક્ષમ ઓથોરીટી ની રજા ચિઠ્ઠી
  • BPL નો દાખલો .
  • પતિના મરણ નો દાખલો ( જો વિધવા હોય તો )
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે , તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ ( તલાટી – કમ – મંત્રિશ્રિ ) ની સહીવાળી .
  • પાસબુક / કેન્સલ ચેક
  • અરજદારના ફોટો

દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા :

  • દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 નું ફોર્મ માત્ર સમાજ કલ્યાણ વિભાગની ઓફીસીયલ વેબસાઇટ પર જ ભરી શકશો.
  • સૌ પ્રથમ, તમારે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગની ઓફીસીયલ વેબસાઇટ પર જવું પડશે.
  • તમારી સામે આ વેબસાઇતનુ હોમ પેજ ખુલશે.
  • નાગરિક લૉગિન વિભાગ હેઠળ હોમ પેજ પર, તમારે તમારું વપરાશકર્તા આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
  • હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો.

Click Here To Check Your Name

દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટેની મહત્વની લિંક્સ :

સત્તાવાર વેબસાઇટhttps://esamajkalyan.gujarat.gov.in/
દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી પત્રકઅહીં ક્લિક કરો
નવા યુઝર માટે ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
રજીસ્ટર યુઝર માટે ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના નો લાભ કોણે મળે?

Ans: દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ ગુજરાતની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ , વિચરતી વિમુકત જાતિના ને મળશે.

દીનદયાળ આવાસ યોજનામાં અરજી કરવા માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?

Ans: Official Website https://esamajkalyan.gujarat.gov.in/ છે.

દીનદયાળ આવાસ યોજનામાં મળવાપાત્ર સહાય કેટલી છે?

Ans: પંડિત દીનદયાળ આવાસ યોજના માં 1,20,000/- રૂપિયા સહાય મળવાપાત્ર થશે.

Leave a Comment